Thursday, January 25, 2018

कैसे मिले तोगडीया का तोड?( हिन्दी सामना मे छपा हुआ मेरा लेख)

Link - 

http://epaper.hindisaamana.com/imageview_4087_112452536_4_71.html

क्या संघ परिवार की तमाम भगीनी शाखाओं में परिवर्तन की बयान जारी है?  क्या राष्ट्रीय स्वयंसेवक संघ के  माध्यम से अस्तित्व में आए महत्वपूर्ण संगठन के उद्देश्य और कार्यप्रणाली में अब बदलाव हो रहा है?  क्या विश्व हिन्दू परिषद में सब ठीक चल रहा है?  क्या शत प्रतिशत एफडीआई के फैसले को स्वदेशी जागरण मंच चुनौती नहीं देगा?

आज इतने सारे सवाल इसलिए पैदा हुए हैं क्योंकि केंद्र में पूर्ण बहुमत के साथ सत्ता में आने के बाद बीजेपी ने वो तमाम फैसले लेना शुरु कर दिया है जिसका वह एक जमाने मे विरोध कर रही थी. इन फैसलों का जो परिणाम होगा उसे लेकर संघ की कई सारी भगीनी संस्थाओ में चर्चा जारी है. खासकर स्वदेशी जागरण मंच.  कांग्रेस की सरकार के दौरान एफडीआई के भारत में प्रवेश पर इस संगठन नें पूरे देश में बवंडर खड़ा कर दिया था. लेकिन इस समय वह चुप है. प्रधानमंत्री नरेंद्र मोदी उस समय गुजरात के मुख्यमंत्री थे. उन्होंने भी एफडीआई का विरोध किया था लेकिन अब सत्ता में आने के बाद उन्होंने शत प्रतिशत एफडीआई के रास्ते खोल दिए.  इसी प्रकार जीएसटी, आधार कार्ड और मनरेगा के मसले पर बीजेपी की सरकार ने यु टर्न लिया है. बीजेपी के इस कदम पर संघ में कई वरिष्ठ नाराज नजर आ रहे हैं.  लेकिन सार्वजनिक रुप से सब चुप है. यहां तक की संघ की भगिनी संस्थाएं भी इन मुद्दों पर सरकार से ना तो सवाल पूछ रही है और ना ही विरोध कर रही है.  ऐसा लगता है कि सरकार के साथ-साथ इन संस्थाओं ने भी अपनी कार्यशैली,  नीति नियम और फैसलों में यू टर्न लिया है.  स्वदेशी के नाम पर देशभर में साहित्य बांटने वाले, हजारों करोड़ के बिजनेसमैन एसे योग गुरु बाबा रामदेव भी चुप है.     


इस समय बीजेपी के खिलाफ सिर्फ एक ही व्यक्ति जमकर बरस रहा है. वह है विश्व हिंदू परिषद के कार्यकारी प्रमुख डॉक्टर प्रवीण तोगड़िया.  जब से प्रवीण तोगड़िया ने प्रधानमंत्री नरेंद्र मोदी का सार्वजनिक विरोध शुरू किया है तब से चर्चा है कि प्रवीण तोगड़िया को अपना पद गवाना पड़ सकता है.  कई अखबारों में इस किस्म  की खबर भी छपी.  लेकिन यह इतना आसान नहीं.  विश्व हिंदू परिषद एक चैरिटेबल संस्था है.  जिस की शाखाएं विश्व के 75 से ज्यादा देशों में फैली है.  करीब 1 महीने पहले उड़ीसा में विश्व हिंदू परिषद की त्रिवार्षिक सभा हुई.  पहली बार अंतर्राष्ट्रीय कार्यकारी अध्यक्ष पद के लिए प्रवीण तोगड़िया के अलावा एक अन्य नाम भी लोगों के सामने सूचित किया गया.  जिस तरह से अन्य सभाओं में वोटिंग के दौरान हां या ना जवाब देना पड़ता है  उससे विपरीत विश्व हिंदू परिषद के कार्यक्रम में सहमत होने पर ओमयह उद्गार निकाले जाते हैं.  नया नाम प्रस्तुत होने के बाद जब डॉक्टर प्रवीण तोगड़िया के नाम पर वोटिंग हुई तो करीब 75 फ़ीसदी जितने  विश्व हिंदू परिषद के  पदाधिकारियों ने  ओमयह उद्गार निकाले. यानी प्रवीण तोगड़िया को इस पद पर बनने रहने का समर्थन मिला. विश्व हिंदू परिषद के कार्य अध्यक्ष चुनने के लिए संगठन के मंत्री, प्रांत मंत्री, क्षेत्र मंत्री, वोटींग करते है. इसके अलावा विदेश में बसने वाले वीएचपी के पदाधीकारी भी वोटींग करते है. यानी अब डॉक्टर प्रवीण तोगड़िया को उनके पद से हटाने के लिए अंतर्राष्ट्रीय स्तर पर तैयारियां करनी होगी.  


लेकिन संघ परिवार के भीतर ही भगिनी संस्थाओं के आला नेताओं की रंजिश काबू से बाहर दिख रही है. करीब 20 साल पहले जब प्रधानमंत्री नरेंद्र मोदी और डॉक्टर प्रवीण तोगड़िया दोस्त हुआ करते थे. उस बख्त केशु भाई पटेल  से अपना समर्थन वापस लेकर शंकर सिंह वाघेला की सरकार को समर्थन देने वाले विधायकों की धोती सरदार वल्लभ भाई पटेल स्टेडियम में सार्वजनिक रूप से खींच ली गई थी. इस मामले में डॉक्टर प्रवीण तोगड़िया के खिलाफ कानूनी कार्रवाई अब शुरू हुई है. राजस्थान पुलिस ने भी जो कार्रवाई की है वह कई साल पहले की घटना है.


गौर करने वाली बात यह है कि डॉक्टर प्रवीण तोगड़िया जब बीमार हुए तो उनका हाल-चाल पुछने बीजेपी के किसी नेता ने अस्पताल का चक्कर नहीं लगाया.  लेकिन हार्दिक पटेल पहुंच गए. एक निजी चैनल को दिए हुए इंटरव्यू में हार्दिक पटेल ने कहा कि गुजरात चुनाव के दौरान उन्हें प्रवीण तोगड़िया कई मुद्दो पर उनसे सहमत है. सद्बभावना उपवास से शुरु हुई मोदी और तोगडीया की दुश्मनी अब गुजरात में हर नुक्कड पर चर्चा का विषय बन चुका है.


सच बताएं तो विश्व हिंदू परिषद इस संस्था के माध्यम से हिंदुओं के एकत्रित और आक्रमक होने का संदेशा पूरी दुनिया को मिला था.  बाबरी मस्जिद के विध्वंस के बाद विश्व हिंदू परिषद का सदस्य बनने के लिए हिंदू युवाओं ने एक होड मची थी. प्रवीण तोगड़िया के बयानों को उस वक्त गंभीरता से लिया जा रहा था. अब अखबारो में एसी चर्चा है कि फरवरी महीने में प्रवीण तोगड़िया की विश्व हिंदू परिषद से छुट्टी होगी. फरवरी में संघ की कार्यसमिती की बैठक है, जिसमे यह बदवाव के संकेत मिल रहे है. संघ की इस बैठक में भगीनी संस्थाओ के विषय मे फैसला किया सकता है. लेकिन एक बात तय है कि प्रवीण तोगड़िया अकेले विश्व हिंदू परिषद से बाहर नहीं जाएंगे. बल्कि वह अपने साथ जुड़े हुए कहीं ऐसे तथ्य और जानकारी को लेकर बाहर आएंगे जिससे बीजेपी और संघ परिवार की अन्य शाखाओं में खलबली पैदा होगी.


Wednesday, January 17, 2018

તમારા મનમાં શું છે તેની જાણ પડોશીને નહીં, પણ ગૂગલને છે


  • પ્રતિષ્ઠીત અખબાર મુંબઈ સમાચાર માં મારો લેખ... જરુર વાંચો...
  • link -  

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=400766#.Wl8xQLk0oow.email



લોકો શું શોધે છે? શું તમને ખબર છે? તમારી બાજુમાં બેઠેલ વ્યક્તિ શું વિચારી રહી છે અને ઈન્ટરનેટ ઉપર સર્ચ કરી રહી છે તેની તમને જાણકારી નહી હોય, પરંતુ ગૂગલ બધું જ જાણે છે. ગૂગલ આજની તારીખમાં ભારતનું સૌથી લોકપ્રિય સર્ચ એન્જિન છે અને આ સર્ચ એન્જિનના એનાલિટિક્સ ઘણાં જ રસપ્રદ છે. સાચું કહીએ તો આ એનાલિટિક્સને જોવાથી આમજનતાની માનસિકતા શું છે તે જણાઈ આવે છે. અમુક સર્ચ તો એવાં છે કે તમે જાણીને દંગ રહી જશો..



સ્વતંત્ર ભારતમાં ડિમોનેટાઇઝેશન એ આર્થિક સુધારાનું સૌથી મોટું પગલું હતું. સ્વાભાવિક છે તેના વિશે વધુ અને વધુ જાણકારી મેળવવા લોકોએ ઇન્ટરનેટનો ઉપયોગ કર્યો હતો. નવેમ્બર ૨૦૧૬માં જયારે સરકારે વિમુદ્રીકરણનું પગલું ઉઠાવ્યું ત્યારે ભારતીય લોકો ગૂગલ પર કાળાં નાણાંને ધોળા શી રીતે કરવા તેની કરામત શોધી રહ્યા હતા. નવેમ્બરના પહેલા અઠવાડિયામાં હરિયાણા રાજ્યના લોકો પૈસા કાળા-ધોળા કરવાની તરકીબ ગૂગલ પર શોધી રહ્યા હતા, પરંતુ નવેંબરના બીજા અઠવાડિયાથી માંડી અને જાન્યુઆરી ૨૦૧૭ સુધી કાળાં નાણાંને ધોળા કરવાની તરકીબો શોધવામાં ગુજરાતે હરિયાણાને પાછળ પાડી દીધું. ભારતની બહુતાંશ જનતાને ડિમોનેટાઇઝેશન સંદર્ભે જાણકારી મેળવવામાં અમુક કલાકો સુધી જ રસ રહ્યો હતો. ગૂગલ ટ્રેન્ડની માહિતી મુજબ સાંજે ચાર વાગ્યા બાદ મોટાભાગના ભારતીય લોકો વિમુદ્રીકરણના સ્થાને ઑસ્કર એવૉર્ડ કોણે જીત્યો તે શોધવામાં વ્યસ્ત થઈ ગયા હતા. 

ખરું કહીએ તો ગૂગલના આ એનાલિટિક્સ લોકોના મનમાં શું ચાલી રહ્યું છે તેનું પ્રતિબિંબ છે. વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના જ્યારે લગ્ન થઈ રહ્યા હતા, તે સમયે લોકોએ ઈન્ટરનેટ ઉપર સૌથી વધુ બંનેની ઉંમરનો તફાવત શોધવાની કોશિશ કરી. આખા ભારતમાં લોકો વિરાટ કોહલી વિશે ઈન્ટરનેટ ઉપર સર્ચ કરી રહ્યા હતા જ્યારે કે ઉત્તર-પૂર્વનાં રાજ્યો અનુષ્કા શર્માને ઈન્ટરનેટ ઉપર શોધી રહ્યા હતા. કહેવાની જરૂર નથી કે ઉત્તર પૂર્વનાં ઘણાં ખરાં રાજ્યોમાં મહિલાઓને ઘરમાં પુરુષો જેટલોજ સમકક્ષ દરજ્જો આપવામાં આવે છે. કદાચ આ જ કારણથી ઉત્તર-પૂર્વના રાજ્યમાં લોકો ઇન્ટરનેટ પર વિરાટ કોહલીના સ્થાને અનુષ્કા શર્માને શોધી રહ્યા હતા. ભારતીય માનસિકતા પ્રમાણે કોઈપણ લગ્ન સમયે છોકરા અને છોકરી વચ્ચેની ઉંમરનો શું તફાવત છે તે જાણવા લોકો ઉત્સુક હોય છે અને તે જ વસ્તુ ઈન્ટરનેટ ઉપર સર્ચ કરવામાં આવી. 

યોગી આદિત્યનાથ જ્યારે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બન્યા તે સમયે લોકો યોગી આદિત્યનાથ કોણ છે તે વિશે ઇન્ટરનેટ પર સર્ચ કરી રહ્યા હતા. ઉત્તર પ્રદેશના લોકો આ કામમાં મોખરે હતા, પરંતુ એક રસપ્રદ વિગત એવી પણ છે કે યોગી આદિત્યનાથ વિશે જે પહેલા પાંચ વાક્યો સર્ચ કરવામાં આવ્યાં તેમાં, ‘વાઈફ યોગી આદિત્યનાથઆ વાક્ય પણ મોખરે રહ્યું. કદાચ લોકો એ જાણવા ઉત્સુક હતા કે યોગી આદિત્યનાથ સાંસારિક જીવન પછી વૈરાગ્યના સ્થાને ચાલ્યા છે કે કેમ. 

ઈન્ટરનેટ ઉપર ગૂગલ, બિંગ, સફારી જેવા અનેક સર્ચ એન્જિન પ્રસિદ્ધ છે, પરંતુ લોકોની પહેલી પસંદ ગૂગલ છે. ગૂગલ સેક્ધડના અડધા ભાગમાં સંખ્યાબંધ સર્ચ રિપોર્ટ તમારા સ્ક્રીન સામે મૂકી દે છે. તમને ભલે એમ લાગતું હોય કે તમે જે સર્ચ કર્યું છે તે માત્ર તમે જાણો છો પરંતુ વાસ્તવિકતા એવી છે કે ગૂગલને બરાબર ખબર છે કે તમે શું કરી રહ્યા છો. પોતાના બ્રાઉઝર ઉપરથી સર્ચ હિસ્ટ્રીનો ડેટા ડીલીટ કરવાને કારણે તમારા કોમ્પ્યુટરમાંથી ડેટા ચાલ્યો જાય છે, પરંતુ ત્યાં સુધીમાં ગૂગલે એ વસ્તુ નોંધી હોય છે. આખા વિશ્ર્વમાંથી પ્રતિ સેક્ધડે ૪૦ હજાર લોકો ગૂગલ પર સર્ચ કરે છે. જ્યારે કે એક આખા દિવસ દરમિયાન ૩.૫ બિલીયન લોકો ગૂગલ સર્ચ કરે છે. પ્રાથમિક દૃષ્ટિએ આ માત્ર સર્ચ એન્જિન છે, પરંતુ તેના એનાલિટિક્સ પરથી વિશ્ર્વ આખું ભારતીયોની નાડ પારખી લે છે. જેની સૌથી પહેલી માહિતી ગૂગલ પાસે જ હોય છે. હવે એ દિવસ ગયા જ્યારે લોકોના મનમાં શું ચાલી રહ્યું છે તે સમજવા માટે દિવસો લાગી જતા. હવે પ્રતિ કલાક પ્રમાણે આ રિપોર્ટ ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે. આ રિપોર્ટ શહેર અને રાજ્ય પ્રમાણે પણ દર્શાવવામાં આવે છે. જેથી અલગ-અલગ શહેરના લોકો અલગ અલગ વસ્તુઓ શોધી રહ્યાં હોય છે તે સ્પષ્ટ જણાઈ આવે છે. 

એક દિલચસ્પ સર્ચ એવી પણ છે ઈન્ટરનેટ ઉપર લોકો આજકાલ પદ્માવતી નામને લગતી માહિતીઓ શોધી રહ્યા છે, પરંતુ જ્યારે ફિલ્મ પદ્માવતીનું ટાઈટલ બદલીને પદ્માવત કરવામાં આવ્યું ત્યારે લોકોએ આ નામ ઇન્ટરનેટ પર શોધવાની જહેમત ઉઠાવી નહીં. શું આનો અર્થ એવો થાય છે કે લોકોને પદ્માવતી માં રસ છે પદ્માવતમાં નહીં? હાલ કહેવું કઠણ છે. જો આ જ ટ્રેંડ બોક્સ ઑફિસ ઉપર ચાલુ રહ્યો તો પદ્માવતીથી નામ બદલવાની કવાયત ફિલ્મ ડિરેકટરને ભારે પડી જશે.




Saturday, January 13, 2018

સદ્દામ હુસૈન નો રસોઈયો અને અલક-મલક ની વાતો...

આજથી 11 વર્ષ પહેલાં ૩૦ ડિસેંબર 2006 ના દિવસે ઇરાક ના પદભ્રષ્ટ પ્રમુખ સદ્દામ હુસૈન ને ફાંસી ના માચડે ચડાવ વા માં આવ્યા હતાં. સદ્દામ હુસૈન ઇરાક માટે સારા હોય કે ખરાબ પરંતુ ભારત સાથે તેમની મૈત્રી હમેશાં નિર્વિવાદિત રહી. સદ્દામ હુસૈન તેમની લક્જુરીયસ જિવન શૈલી માટે જાણીતા હતા. આજે સદ્દામ હયાત નથી પરંતુ તેમની સેવા માં હાજર એવા ઘણાય લોકો આજે વિશ્વ માં અલગ અલગ ઠેકાણે કામ કરી ગુજરાન ચલાવે છે. તેમાંથી એક છે. માસ્ટર શેફ જોશેન કેર્ન. થોડા સમય અગાઉ તેઓ અમારી સાથે રુબરુ થયાં.



જોશેન કેર્ન આજ-કાલ મલેશીયામાં મોજુદ છે, તેમના હાથ માં જાદુ છે. આ માસ્ટર શેફ પાસે ચટાકેદાર વ્યંજનો ની રેસિપી સિવાય બીજી ઘણી બધી દિલચસ્પ વાતો નો ખજાનો પણ છે, જેને કારણે ભોજન ની મજા બેવડાઇ જાય છે. આ જર્મન માસ્ટરશેફ મલેશિયા ની રાજધાની કુઆલાલંપૂરમાં બારજાયા કૉલેજ ઓફ હોસ્પિટાલિટી માં ડાઇરેક્ટર પદ પર કાર્ય રત છે અને વર્જિન પામ ઓયલ સાથે નવા નવા પ્રયોગ કરી તેને પ્રચારિત કરવા માં વ્યસ્ત છે. આખા વિશ્વ માં કુલ 425 વર્લ્ડ માસ્ટર શેફ છે. જેમાંથી ચાર માસ્ટર શેફ એશિયા માં કામ કરી રહ્યાં છે.  જોશેન કેર્ન તેમાના એક છે. તેમના હાથ થી બનેલું ભોજન ખાવા માટે રસિકો ની કોઈ કમી નથી. જોશેન ના હાથનું ખાવાનું ઇરાકના ભૂતપૂર્વ પ્રમુખ સદ્દામ હુસેન પણ ખાઈ ચુક્યા છે. ઈરાક અને ઇરાનના યુદ્ધ સમયે તેઓ ઇરાક માં મોજૂદ હતા.

 જોશેન કેર્ન અમારી માટે મશરુમ સલાડ અને અરબી વ્યંજન હોલીશેક બનાવી રહ્યા હતા. અમે તેમને સહજ રીતે પ્રશ્ન પૂછ્યો કે પહેલાં તમે ક્યાં કામ કરતા હતા”. તેમણે કહ્યું હું છેલ્લા 35 વર્ષથી વ્યંજનો બનાવું છું, જોકે હું સદ્દામ હુસૈન માટે પણ વ્યંજનો બનાવતો હતો”. “સદ્દામ હુસૈન….” અમારા મોઢામાંથી ઉદગારજનક રીતે આ નામ બહાર આવ્યું. હજી ભોજન બન્યું નહોતું એટલે અમે સદ્દામ હુસૈન વિષે વાતચીત ચાલુ રાખી. અમે પૂછ્યું તમે ઈરાક શી રીતે પહોંચી ગયા?” . જોશેન કેર્ન ના અનુભવી હાથ એ સમયે ટમેટા ના ઝીણા ઝીણા ટુકડા કાપવા માં વ્યસ્ત હતા. ટમેટા ને ફ્રાઈંગ પેન માં નાખી તેમણે કહ્યું, “હું મેરીયટ માટે કામ કરતો હતો અને કોન્ટ્રાક્ટ હેઠળ મારે ઇરાક માં ફરજ બજાવવી પડી”. અમે પૂછ્યું, “તમે યુદ્ધ ના સમયે સદ્દામ ની સાથે હતા ઇરાક છોડીને ગયા નહીં?” ગરમ પાણીમાં કોબીનું એક પત્તું નાખતા તેઓએ જવાબ આપ્યો કે હું ઇચ્છત તો ઇરાક છોડી શકત પણ મારું મન માન્યું નહિ. મેં મારા જીવન ના અમૂલ્ય પાઠ ઈરાક માં જ ભણ્યા. સદ્દામ હુસૈન ને છોડવા નું મન નહોતું થતું”.






સદ્દામ હુસૈન પ્રત્યે નો આટલો પ્રેમ જોઈ અમે સમજી ચુક્યા હતા કે જોશેન પાસે ઘણી જાણ કારી છે. અમે કહ્યું, “ કંઈક દિલચસ્પ વાત જણાવો. ઈરાક - ઇરાન યુદ્ધ સમય ની”. આંગળી ગરમ પાણીમાં બોળીને પાણી ની ગરમી માપતા તેઓ ઊંચા અવાજમાં બોલ્યા. તમે પત્રકાર છો નેપરંતુ યુદ્ધ સમયે તમારા જેવા લોકો નું કોઈ જ કામ હોતું નથી, કિંમત તો કીડાઓ ની હોય છે. ઇરાક-ઈરાન વચ્ચે જ્યારે યુદ્ધ ચાલુ હતુ, ત્યારે એવા વિચિત્ર અને એવા અવનવા હથિયાર લઇ ને વેપારી ઓ ઇરાક આવી પહોંચતા. અમારે તેમના માટે આખો ભોજન બનાવવું પડતું હતું. સદ્દામ હુસેન ના સૈનિક અને અત્યાધુનિક ટેકનોલોજી, મિસાઇલ ને કારણે અમારી હોટલ ને વિશેષ  સુરક્ષા મળી હતી. આ જ કારણ થી તમામ વેપારી ઓ અને સૈન્ય ના ઉચ્ચ હોદ્દેદાર અમારી હોટલ માં રોકવા આવતા. કેટલાક વેપારી ઓ બંદૂક વેંચવા આવતા તો કેટલાક દારુગોળા.. કેટલાક વેપારી ઓ ભાડાના સૈનિકો ને લઈ આવતા. પરંતુ એક વેપારી ઘણા પૈસા કમાયો અને તે ઘણી વિચિત્ર વસ્તુ પોતાની સાથે લઈને આવ્યો હતો. તે એવા પ્રકાર ના જમીન નીચે રહેનાર કીડા ઓ લઈને આવ્યો હતો કે જેમને જમીન ઉપર નાખ્યા બાદ પાણી નો છંટકાવ કર્યા પછી, આ કીડાઓ નાની-નાની સુરંગો વડે જમીનમાં ઊંડે સુધી ચાલ્યા જતા. આને કારણે જમીન પોચી થઇ જતી હતી, અખાત યુદ્ધ વખતે આ વેપારી એ સેંકડો-કરોડ ની કિંમત ના આવા કીડાઓ સદ્દામ હુસેન ને વેચ્યા હતા. સદ્દામ હુસેન ના સૈનિકો એ જે રસ્તે ઈરાક ની રણગાડી ઓ આવનાર હતી, ત્યાં આ કીડા ઓ મૂકી દીધા હતા. જેથી  રણ ગાડીઓ નાં પૈડાં જમીનમાં ખૂંપી જાય”.

તો આખા યુદ્ધ દરમ્યાન તમારી હોટલ પર એક એકેય તોપ ગોળો પડ્યો જ નહીં?”…. અમારામાં ના એક વ્યક્તિ એ આ પ્રશ્ન  પૂછ્યો.

હવે કોબી નું પત્તુ ઉકળતા પાણીમાં ઢીલું થઈ ચૂક્યું હતું. જોશેન લીલા મરચા ને ચીરી રહ્યો હતો, ટામેટા ની ગ્રેવી અને રશિયન વનસ્પતિ ને મેળવી તેણે ઓવનમાં આ ત્રણેય વસ્તુ ને ગરમ કરવા મૂકી. હસતા હસતા તેણે કહ્યું... ડિફેન્સ ગમે તેટલો મજબૂત હોય, એટેક તો હંમેશા થવાનો જ છે. અમારી હોટલ ઉપર પણ તોપગોળા પડ્યાં.  પરંતુ મારો અને મારા સાથીદાર નો આબાદ બચાવ થયો. મારો સાથીદાર ઘવાયો હતો અને હું ઘણો જ ગભરાયેલો હતો. તમને વિશ્વાસ નહીં થાય પરંતુ અમારા ઘાયલ થયાના સમાચાર સદ્દામ હુસૈન ને મળતા જ તેઓએ ફોન ઉપર ખબર-અંતર પૂછ્યા. સાંજે મળવા પણ આવ્યા”. અમે પૂછ્યું તો તમે સદ્દામ ને મળ્યા છો એમને?”  તેણે કહ્યું, “હું સદ્દામ ની ફેવરીટ ડિશ એટલે કે ભરેલું બકરું બનાવવા માં માહેર છું. જે રીતે ભારત માં ભરેલા રીંગણા બનાવવા માં આવે છે, તે જ રીતે બકરા ના શરીરમાં મસાલો ભરી તેને બાફી અને રાંધવામાં આવે છે. સદ્દામ હુસૈન આના ઘણા શોખીન હતા. તેઓ ઘણીવાર મારી પાસે આ બનાવડાવતા”.

તો પછી દિવસ આંખો યુદ્ધ ચાલતું?”  અમે પૂછ્યું.. જરાય  નહીં”  તેમણે કહ્યું.  ઈરાક અને ઈરાનના યુદ્ધ સમયે અને વણલખાયેલા નિયમો હતા. નમાજના સમયે યુદ્ધ આપોઆપ બંધ થઈ જતું. બપોરે જ્યારે ગરમી ઘણી વધી જાય ત્યારે બંને પક્ષે યુદ્ધ માં વિરામ લેવાતો. પરંતુ રાત આખી વિમાન ની ઘરેરાટી અને તોપગોળા ના અવાજો વચ્ચે વિતતી હતી”. હવે વાનગી લગભગ બની ને તૈયાર થઈ ગઈ હતી. અમે જોશેન ને પૂછ્યું સદ્દામ હુસૈન એક વ્યક્તિ તરીકે કેવો હતો?” એક ક્ષણ પણ અટક્યા વગર તેમણે જવાબ આપ્યો, “ સદ્દામ ખરેખર એક સારા વ્યક્તિ હતા. ઘણા જ વિનમ્ર અને નિખાલસ. પરંતુ તેલના ખેલમાં તેઓ અટવાઈ ગયા. તેમના મૃત્યુનું મને દુઃખ છે”.

વાનગી બનીને તૈયાર થઈ ગઈ હતી. એક ફેશનેબલ ઢબથી અમને પીરસવામાં આવી. અમે વ્યંજનનો સ્વાદ ભરપૂર માણ્યો. પરંતુ આ માસ્ટર શેફ સાથે થયેલી વાતચીત એક વ્યંજનથી કંઈ ઓછી નહોતી.   




उत्तर मुंबई की मलाड सीट पर एक रस्साकशी भरा जंग जारी है। इस सीट पर इस समय किसका पलड़ा भारी है? गुजराती मिडडे में छपा हुआ मेरा लेख।